Breaking NewsLatest

ભિલોડામાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો વહીવટી તંત્રના ધ્વારા હટાવવાની પુરજોશમાં કામગીરી હાથ ધરાઈ  કહીં ખુશી કહીં ગમ ના દ્રશ્યો સર્જાયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યા હલ કરવા સંદર્ભે અરવલ્લી જીલ્લા મથક ખાતે સંકલન સમિતિની બેઠક દરમિયાન ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકનો પ્રશ્ન ચર્ચાતા લારી અને ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો જે.સી.બી મારફતે હટાવાયા હતા.
ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં ઈડર-ભિલોડા-શામળાજી ધોરીમાર્ગની આજુ-બાજુમાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસરના લારી – ગલ્લાના ગેરકાયદેસરના દબાણો હટાવવનીકામગીરી મામલતદાર,પી.એસ.આઈ,ટી.ડી.ઓ,આર એન્ડ બી,સીટી સર્વેયર ઓફીસના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી.કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા હતા.રાહદારીઓ અને વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધી,સામાજિક કાર્યકરો ભરત ત્રિવેદી,જીતુ બરંડા,દિલીપ પરમાર,જશુભાઈ પંડયા સહિત વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.લારી અને ગલ્લાવાળા નાના વેપારીઓ માટે ભિલોડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા વૈકલ્પિક રીતે કાયમી ધોરણે જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ તેવો સુર વ્યક્ત કર્યો રહ્યો હતો.


ભિલોડામાં હાર્દસમા રહેણાંક વિસ્તારોમાં ઠેર-ઠેર કાયદાની ઐસી કી તૈસી કરીને દબાણકારોએ ગેરકાયદેસર રીતે પાકાં અને કાચાં બાંધકામ અને દબાણો બેરોકટોક રીતે કર્યા છે.દબાણોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી રીતે આડેધડ બાંધકામ જોવા મળી રહ્યા છે.રસ્તા પૈકીના દબાણો,કોમન પ્લોટના દબાણો,ખુલ્લા ભોગવટાની જગ્યામાં દબાણો બિલાડીના ટોપની જેમ ફુલી ફાલી રહ્યા છે.વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા ન્યાયિક રીતે કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવો સુર જાગૃત ગ્રામજનો વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *