Breaking NewsLatest

માં અંબા ની ભાદરવી પૂનમ સુખ સપન્ન રીતે પુર્ણ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચઢાવવામાં આવી

અમિત પટેલ.અંબાજી

માં અંબા એટલે વિશ્વ ની આરાધ્યા દેવી, માતાનુ ગોલ્ડન ટેમ્પલ અંબાજી ખાતે વિરાજમાન છે ત્યારે ચોક્કસ પણે કહી શકાય છે કે આ સ્થળે ભક્તો માતાજી ના આશીર્વાદ લેવા વર્ષ દરમીયાન આવતા હોય છે અને દર્શન કરીને માં અંબા ને સાક્ષાત સ્વરૂપે મળ્યાં હોય તેવો અનુભવ ભક્તો ને થાય છે. શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભાદરવી પૂનમ સુખ સપન્ન રીતે પુર્ણ થતા અંબાજી મંદિર ના શક્તિ દ્વાર થી વહીવટદાર સાહેબ ની આગેવાની મા ધજા ગબ્બર પગપાળા ચાલતા નીકળ્યા હતા અને ગબ્બર ટોચ ખાતે ધજા ચઢાવવામાં આવશે.


આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના તમામ કર્મચારીઓ અધિકારીઓ આજે સવારે 9 વાગે શક્તિ દ્વાર થી હાથમાં ધજા લઈને માં અંબા ના ગુણગાન કરીને ગબ્બર તરફ પગપાળા નીકળ્યા હતા અને ગબ્બર તળેટી પહોંચ્યા બાદ ગબ્બર ચાલતા ઉપર જઈને ભાદરવી પૂનમ સુખ સંપૂર્ણ રીતે પૂર્ણ થતાં ચાલતા ઉપર જઈને માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવશે.

અંબાજી મંદિરે બહારના ભક્તો ધજા ચઢાવે છે જયારે મંદિર ટ્રસ્ટ ના અધિકારી, કર્મચારી ચાલતા ગબ્બર જઈને આજે ધજા ચઢાવી માં અંબાનો આભાર માનશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *