Breaking NewsLatest

માઈધાર લોકવિદ્યાલય ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનો પ્રારંભ

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ
————–

સમગ્ર રાષ્ટ્ર સાથે ભાવનગર જિલ્લામાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનો લાભ મળ્યો છે. લોકભારતી સણોસરાના સંકલન સાથે માઈધાર લોકશાળામાં આજે આ પ્રદર્શનનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો.

લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહની સણોસરા, માઈધાર તથા ભાવનગર ખાતે ઉજવણી થઈ રહી છે, જેમાં શિક્ષણ અને વિજ્ઞાન પ્રેમીઓ સાથે કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી છે.

શ્રી પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધાર ખાતે આજે આ સપ્તાહ પ્રદર્શન ખુલ્લું મૂકતા ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નવીનચંદ્ર વ્યાસે આપણાં રોજબરોજના વ્યવહારમાં રહેલા વિજ્ઞાનને સમજવા ભાર મૂકી તે અંગે સંશોધન વૃત્તિ પર કામ કરવા અનુરોધ કર્યો.

આ પ્રસંગે અહીં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા શ્રી હસમુખભાઈ દેવમૂરારિએ સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પચાસ વર્ષ જેટલા સમયની નોંધ સહર્ષ આપી વિજ્ઞાન એ વ્યવહારુ બનાવ્યાનો ઉલ્લેખ કર્યો.

સમગ્ર રાષ્ટ્ સાથે ભાવનગર જિલ્લામાં થયેલા આ આયોજનમાં શિક્ષણ વિભાગના નિરીક્ષક શ્રી પાંડે અને સંબંધિત મહાનુભાવો જોડાયા હતા. શ્રી પાર્થેશ પંડ્યા તેમજ શ્રી વિશાલ ભાદાણીના સંકલન સાથે અહીંયા શ્રી ભાવનાબેન પાઠકના માર્ગદર્શનમાં શ્રી પાતુભાઈ આહીર તેમજ સંસ્થા પરિવાર જહેમતમાં રહેલ છે. કાર્યક્રમ આભાર વિધિ શ્રી નિર્મળભાઈ પરમારે કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *