CrimeLatest

મિસિસ યુનાઇટેડ નેશન્સ (૨૦૧૭) નીપા સિંઘની ઉપસ્થિતમાં સેવાભાવી સંસ્થાના સહયોગથી 125 બહેનોને સુખડી વિતરણ કરાયુ.

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની હેલ્થ ઓફિસ દ્વારા સગર્ભા બહેનોના આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગણેશોત્સવના પવિત્ર અવસરે ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. વિરમગામની એક સેવાભાવી સંસ્થા સ્ટેપ અહેડ પોઝિટિવ મિડીયાના સહયોગથી વિરમગામની ૧૨૫ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને તાલુકા હેલ્થ ઓફિસમાં મિસિસ યુનાઇટેડ નેશન્સ-2017 શ્રી નીપા સિંધની ઉપસ્થિતમાં પ્રતિકાત્મક રૂપે 10 સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવી હતી. બાકીના ૧૧૫ સગર્ભા બહેનોને આશાવર્કર દ્વારા ઘરે સુખડી પહોંચાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સગર્ભાવસ્થા દરમ્યાન સાંકર, વરીયાળી વાળુ દુધ, જેઠી મધ વાળુ દુધ, માખણ, ઘી, મધ, જુના ચોખા, સંચળ યોગ્ય માત્રામાં લેવુ જાઇએ. છઠ્ઠા માસે ગોખરૂવાળુ દુધ લેવુ જોઇએ. મગ, મગનું પાણી, કઠોળ, સિંગ, સુખડી, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવે છે.
જે ધાત્રી માતાને ધાવણ ન આવતુ હોય તેમને શતાવરી યુક્ત દુધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય માત્રામાં આયર્ન, ફોલીક એસીડ તથા કેલ્શીયમની ટેબલેટ લેવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૩ તપાસ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં કરાવવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન પોતાની ઋચી અનુસારના પુસ્તકો તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ, આશાવર્કર બહેનો , તાલુકાના અગ્રણીઓ અને સ્ટેપ અહેડ પોઝિટિવ મિડીયા ના વંદના નીલકંઠ વાસુકિયા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સમીના ગોચનાદ ખાતે બોગસ ડૉક્ટર ઝડપાયો..મેડિકલ ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો તબીબ

પાટણ. એઆર. એબીએનએસ: પાટણ એસઓજી પોલીસે સમી તાલુકાના ગોચનાદ ગામમાં બોગસ તબીબ સામે…

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *