Breaking NewsLatest

મોડાસા: ખંભિસર નજીક બે કાર ભટકાતાં આશાસ્પદ શિક્ષકાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના માર્ગો પર વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા સતત અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે મોડાસા- હિંમતનગર રોડ પર ખંભિસર નજીક બે કાર સામસામે ભટકાતાં સરડોઈ હાઈસ્કૂલ માં ફરજ બજાવતા ૩૫ વર્ષીય શિક્ષિકા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા મોતને ભેટતા ભારે ચકચાર મચી હતી અકસ્માતના પગલે પરિવારજનોને ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
સરડોઈ હાઇસ્કુલમાં ફરજ બજાવતા અને હુંજ ગામના રાગિણીબેન ધવલભાઈ પટેલ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે વહેલી સવારે
સરડોઈ હાઈસ્કૂલમાં કાર લઇને જવા નીકળ્યા હતા ખંભિસર નજીક મોડાસા તરફથી પૂરઝડપે ગફલતભરી રીતે હોન્ડા સીટી કારના ચાલકે શિક્ષિકાની અલ્ટો કાર ને ધડાકાભેર ટક્કર મારતાં શિક્ષિકાની કારના આગળના ભાગના ભુક્કેભુક્કા બોલાઈ જતા કાર ચાલક શિક્ષિકાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માત ના પગલે દોડી આવેલા લોકોએ શિક્સિકાને દવાખાને ખસેડતા સારવાર મળે તે પહેલા શિક્ષિકાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .
સરડોઈ હાઇસ્કુલમાં ફરજ બજાવતા હુંજ ગામના આશાસ્પદ શિક્ષિકા રાગિણીબેન ધવલભાઈ પટેલનું પિતાનું ઘર અકસ્માત સ્થળથી નજીક હોવાથી શિક્ષિકાના મોતને પગલે આખું ગામ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું પરિવારજનોએ રોકોક્કળ કરી મૂક્યું હતું શિક્ષિકાના મોત થી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *