Breaking NewsLatest

રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ

મોબાઈલ ફુડ ટેસ્ટિંગ વાનની મદદથી ફૂડ સેફટી ટીમ દ્વારા રાજકોટ ખાતેથી મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પડાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મરચુ, હળદર અને ધાણાજીરુ પાઉડરની પ્રાથમિક ચકાસણી કરતા કલરની હાજરી મળી આવી : સ્થળ પરથી રૂ.૩.૬૦ લાખની કિંમતનો ૩ હજાર કિલોનો મસાલાનો જથ્થો જપ્ત કરાયો

ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાશે

ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ટીમ દ્વારા તેમના હસ્તકની અદ્યતન મોબાઈલ ફુડ ટેસ્ટિંગ વાનની મદદથી રાજકોટ ખાતે ચેકીંગ હાથ ધરી મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પડવામાં આવ્યું છે. આ ફુડ ટેસ્ટિંગ વાન મારફતે મરચુ, હળદર અને ધાણાજીરુ પાઉડરની પ્રાથમિક ચકાસણી કરતા કલરની હાજરી મળી આવતા ફુડ ટેસ્ટિંગ ટીમે સ્થળ પરથી રૂ.૩.૬૦ લાખની કિંમતનો ૩ હજાર કિલોનો મસાલાનો જથ્થો જપ્ત કરી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.

રાજ્યના નાગરિકોને જીવનજરૂરી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત મોબાઈલ ફુડ ટેસ્ટીંગ(FSW) વાન થકી ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા સતત ચેકીંગ હાથ ધરાશે તેમ ફૂડ સેફટી કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.

ડૉ.કોશિયાએ ઉમેર્યું કે, હાલ રાજ્ય પાસે ૨૨ મોબાઈલ ફુડ ટેસ્ટિંગ વાન છે. જે અધ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. જેના ઉપયોગથી સ્થળ ઉપર ખાધ્ય પદાર્થોના નમુના લઈ ચકાસણી કરી શકાય છે અને નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.

રાજ્યની ફૂડ સેફટી ટીમ દ્વારા રાજકોટના શ્રી રામ મસાલા માર્કેટ, નાના મૌવા ખાતેથી મરચુ, હળદર અને ધાણાજીરુ પાઉડરની પ્રાથમિક ચકાસણી FSW વાનથી કરવામાં આવી હતી. જે નમૂનાઓમાં કલરની હાજરી મળી આવતા સ્થળ પર કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તે ઉપરાંત ટીમ દ્વારા સ્થળ પરથી રૂ.૩.૬૦ લાખની કિંમતનો ૩ હજાર કિલોનો જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાધ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *