Breaking NewsLatest

રાજ્યમાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા 2-3 દિવસમાં SOP જાહેર કરાશે : શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે, આગામી સમયમાં રાજ્યની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે બે-ત્રણ દિવસમાં SOP જાહેર કરીને યોગ્ય નિર્ણય કરાશે.

મંત્રીશ્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે SOP બનાવવા માટે સુચના આપી હતી. જેના અનુસંધાને આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને SOP બનાવવા માટેની સુચના આપી દેવાઇ છે જે આગામી બે-ત્રણ દિવસમાં બનાવી દેવાશે.

વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે પણ ઓનલાઇન ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ ૯ થી ૧૨માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક SOP બનાવવા માટે પણ સુચનાઓ આપી દેવાઇ છે. તેમણે ઉમેર્યુકે SOP તૈયાર થયા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ કરવું એ અંગે યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *