Breaking NewsLatest

રાષ્ટ્રવ્યાપી માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા સમર્થકોને અપીલ કરતું જામનગર ભાજપ સંગઠન

જામનગર: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીના ‘માઈક્રો ડોનેશન અભિયાન’ માં કાર્યકરો ઉપરાંત સમર્થકોને પણ જોડાવા જામનગર મહાનગર ભાજપ સંગઠન દ્વારા અનુરોધ કરાયો છે.

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલ માઈક્રો ડોનેશન અભિયાન ચાલી રહ્યું છે.

ભારતમાં લોકપ્રિય વડાપ્રધાનશ્રી મોદીજીના નેતૃત્વ હેઠળ પક્ષની વિચારધારા અન્વયે દેશમાં તમામ ક્ષેત્રે સર્વસ્પર્શી તથા સર્વવ્યાપી વિકાસ થઈ રહ્યો છે. શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી પણ કાર્યકર્તાઓ તથા સમર્થકોના યોગદાનના આધારે નિષ્પક્ષ અને પારદર્શી રાજનૈતિક કાર્યો હાથ ધરી રહી છે. ઉપરાંત શ્રી મોદીજીના આહ્વાન થકી જ માઈક્રો ડોનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

દેશભરમાં તેનો પ્રારંભ ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસથી થયો છે. જે પક્ષના પ્રેરણાસ્રોત પંડિત દીનદયાળજીની પૂણ્યતિથિ એટલે કે તા. ૧૧/૦૨/૨૦૨૨ સુધી કાર્યરત રહેશે.

આ માઈક્રો ડોનેશન રૂપિયા ૫, ૫૦, ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ એમ પાંચથી લઈ એક હજાર રૂપિયા સુધી સ્વૈચ્છિક છે અને તે ધનરાશિ “નમો એપ” થકી જ આપી શકાશે. જેની પ્રક્રિયામાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટિલજીનો રેફરન્સ કોડ GL3A67-F આપવાનો રહેશે.

ભાજપ પ્રદેશ કાર્યાલયના આગ્રહને રજૂ કરી શહેર પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરાએ જણાવ્યું છે કે, શહેરના પ્રત્યેક બુથ દીઠ ઓછામાં ઓછાં વીસ કાર્યકરો તેમજ સમર્થકો આ માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાઈ ને પોતાનું યોગદાન અર્પણ કરે. ઉપરાંત શહેર સંગઠનના મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ સહિતના હોદ્દેદારોએ પણ ભારતના ગૌરવશાળી વડાપ્રધાનના આહવાનરૂપ આ અભિયાનને જ્વલંત સફળ બનાવી ગુજરાત રાજ્યના યોગદાનને દેશમાં પ્રથમ ક્રમે પહોંચાડવા અનુરોધ કર્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *