Breaking NewsLatest

લોધિકાના બાલસર ગામે સ્વ સંજયભાઈ લોખીલને શ્રદ્ધાંજલી રૂપે મહારક્તનદાન કેમ્પ યોજાયો બોહળી સંખ્યા બાલસર ગામની આહીર સમાજની મહિલાઓ રક્તદાન કરી સમાજને નવી રાહ સિંધી

લોધિકા તાલુકાના સૌથી ઓછી વસ્તી ધરાવતા બાલસર ગામમાં ૩૦૦ થી વધુ બોટલ રક્તદાન કરી સમાજનું એક પ્રેરણાદાયી કાર્યે કરવામાં આવ્યું હતું

લોધીકા તાલુકાના બાલસર ગામે કરશનભાઈ લોખીલ નો એકનો એક દીકરો સ્વ સંજયભાઈ લોખીલ નું કોરોના કાળ દરમિયાન એક નાની ઉંમરે મૃત્યુ પામેલ જેને સંતાનમા નાની દિકરી છે સંજયભાઈ લોખીલ એક આહિર સમાજના સામાન્ય પરીવારના છે તેવો યુવા અવસ્થામાં સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા તેની ઇચ્છા પૂર્તિ માટે બાલસર ગામના આહિર સમાજના યુવાનો દ્વારા સંજયભાઈ લોખીલને શ્રદ્ધાંજલી રૂપે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમા ગામના આહિર સમાજના યુવાનો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આહિર સમાજ તેમજ સવૅ સમાજના યુવાનોએ રક્તદાન કેમ્પમાં ભાગ લઇને સંજયભાઈ લોખીલને શ્રદ્ધાંજલી આપેલ તેમજ આ રક્તદાન કેમ્પમા બોહોળી સંખ્યા આહિર સમાજની મહિલાઓએ રક્તદાન કરી સમાજને નવી રાહ ચીંધેલ
સંજયભાઈ લોખીલને શ્રદ્ધાંજલી ના બ્લડ ડોનેશન કેમ્પમા પધારેલ આહિર સમાજના અગ્રણી સ્વામી નારાયણ સંપ્રદાયના ભક્તિ સ્વામી તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટય કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ

રક્તદાન કેમ્પમાં પધારેલ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ,કમલેશ મીરાણી ભાજપ રાજકોટ શહેર પ્રમુખ, નાગદાનભાઈ ચાવડા પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ,ઘનશ્યામભાઈ હેરભા ટ્રસ્ટી પી ડી માલવીયા કોલેજ,વશરામભાઈ સાગઠિયા પૂર્વ વિપક્ષ નેતા,લોક સાહિત્યકાર દેવાયત ખવડ,કે.કે.રાણાવસીયા લોધિકા મામલતદાર,આર જે રામ સાહેબ આહીર સમાજ વૈચારિક ક્રાતિ ગ્રુપના પ્રણેતા,વિજયભાઈ કોરાટ મંત્રી પ્રદેશ કિસાન મોરચો, ભાવેશભાઈ લોખીલ,નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ લોધિકા સંઘના ચેરમેન,સહદેવસિંહ જાડેજા જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન,મોહન દાફડા જીલ્લા પંચાયત ચેરમેન ન્યાય સમિતિ, મુકેશભાઈ તોગડીયા જીલ્લા પંચાયત દંડક,તેમજ જીલ્લા પંચાયત સદસ્ય એવા રાજુભાઈ ડાંગર,શૈલેષભાઈ ડોબરીયા, અમૃત મકવાણા,ગીતાબેન રાઠોડ તાલુકા પ્રમુખ લોધિકા તેમજ સર્વે સમાજના પ્રમુખશ્રીઓ તમામ રાજકીય પાર્ટીના તાલુકા તેમજ જીલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *