Breaking NewsLatest

વિદ્યા સહાયક ના વધામણાં 2022 કાર્યક્રમ યોજાયો

ત્રાપજ

ટેટ પાસ સંગઠન દ્વારા ચાર પાંચ વર્ષ થી ચાલતી લડત ને આખરે મળી સફળતા
ટેટ પાસ ઉમેદવાર હરદેવસિંહ વાળા ના નેતૃત્વમાં યોજવામાં આવ્યો કાર્યક્રમ
ગુજરાત સરકાર મા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ટેટ પાસ ઉમેદવારો ના જીવનમાં સોનેરી સવાર

રાજ્યમાં ટેટ પાસ કરેલા અંદાજે 50હજાર કરતા વધુ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયક ભરતીની રાહમાં હતા અને શિક્ષણ મંત્રી તેમજ સરકારમાં અનેક વખત રજુઆત કરી ચુક્યા હતા ત્યારે આ ઉમેદવારો રજૂઆતને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી દ્વારા આજ રોજ વિદ્યાસહાયકની જાહેરાત આપવામાં આવતા વિદ્યાસહાયક ભરતીના ઉમેદવાર હરદેવસિંહ દ્વારા તેમના નિવાસસ્થાને વિદ્યાસહાયકના વધામણાં નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં તેમની સાથે અન્ય ઉમેદવાર સાથે અન્ય મિત્રો પણ જોડાઈને આ જાહેરાતને વધાવી હતી.સાથે ઢોલ શરણાય દ્વારા નાચગાન કરવામાં આવ્યું હતું અને ઉમેદવાર હરદેવસિંહ સાથે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પણ જોડાણા હતા તમામ ઉમેદવારવતી હરદેવસિંહ વાળા દ્વારા શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 731

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *