Breaking NewsLatest

શહીદોના આપ્તજનોનું સન્માન કરવા માટે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: “આઝાદીનો અમૃત મહોત્સવ” 2022ના ભાગરૂપે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજવાનો મૂળ ઉદ્દેશ શહીદોના આપ્તજનોનું સન્માન કરીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો અને શૌર્યવાન શહીદોએ આપેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કરવાનો છે. ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે, NCC ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ નિદેશાલયના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ દ્વારા 26 જાન્યુઆરી 2022ના રોજ યોજાયેલી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન શહીદોના આપ્તજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન, શહીદ સિપાહી મોજિન્દ્ર વિજય શાંતિલાલ, શૌર્ય ચક્ર અને ગનર (GD) વિદ્યા કિશોર બારબલ, સેના મેડલના આપ્તજનો તેમજ ગુજરાત રાજ્યના અન્ય શૌર્યવાન જવાનો કે જેમણે ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમના આપ્તજનોએ NCCના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ સાથે મુલાકાત કરી હતી. આદરણીય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી તેને અનુરૂપ અહીં “કૃતજ્ઞતા તક્તિ” રજૂ કરીને શહીદો પ્રત્યે દેશની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. શહીદો માટે રજૂ કરવામાં આવેલી “કૃતજ્ઞતા તક્તિ”ની NCC દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી હતી અને યુટ્યૂબ ચેનલ પર તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ દરેક શહીદોના પરિવારજનોને NCC કેડેટ્સ દ્વારા સમગ્ર દેશમાં “કૃતજ્ઞતા તક્તિ” અર્પણ કરવામાં આવશે. આ મુશ્કેલ અને ભગીરથ કાર્ય 26 જાન્યુઆરી 2022ના રોજથી શરૂ થશે અને 15 ઑગસ્ટ 2022ના રોજ પૂરું કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *