Breaking NewsLatest

શાહીબાગ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ખંડન કરતું ભારતીય સૈન્ય.

અમદાવાદ: શાહીબાગ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ભારતીય સૈન્ય દ્વારા ખંડન કરવામાં આવ્યું છે.

શ્રી હનુમાન જંયતિના પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનારી વ્યવસ્થાના સંદર્ભમાં વિનંતી મેળવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેશન કમાન્ડરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

સ્ટેશન હેડક્વાર્ટર દ્વારા સુરક્ષાના દૃષ્ટિકોણથી તમામ મુદ્દાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મંદિર ટ્રસ્ટ ઓથોરિટીને વિનંતી કરી હતી કે, કોઇપણ વ્યક્તિને પ્રતિકૂળતા ઉભી ના થાય તેવી રીતે તમામ પ્રકારે આયોજનપૂર્વક આ કાર્યક્રમ યોજવામાં આવે અને કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જળવાઇ રહે તે માટે, આ સંદર્ભે નાગરિક પ્રશાસન અને પોલીસ સત્તાધીશો સાથે સંકલન સાધવામાં આવે. પ્રસાદ વિતરણ જેવા મુદ્દાઓ સૈન્ય સત્તાધિકારીઓની બહારના છે અને આ સંબંધમાં કોઇ જ મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *