Breaking NewsLatest

શ્રાવણ માસના અંતિમ દિવસે ગરીબ નિસહાય બાળકોને મોંઘેરી રેસ્ટોરન્ટમાં જમાડવાનું આયોજન કરતા યુવાઓ..

અમદાવાદ: આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ યાદગાર રહે તે માટે સિગ્નલ પર ઉભા રહેતા નિસહાય ભૂલકાઓ અને જરુરીયાત મંદ બહેનોને મહેમાન બનાવી મણિનગર રેસ્ટોરન્ટ ખાતે જમાડવાનું પ્રેરણાદાયી આયોજન NSUI ગુજરાત મહામંત્રી ગૌરાંગ મકવાણા અને મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ આ બાળકોને મદદરૂપ થવાનો અવસર મળ્યો અને આગળ પણ આવા માનવતાના કાર્યો અવિરત કરતા રહેવાના અવસર મળતા રહે તેવી ભગવાન મહાદેવ ને પ્રાર્થના કરવામાં આવી હતી. બાળકોના માસૂમ ચહેરા પરનું સ્મિત તેમના આનંદની પ્રતીતિ અભિવ્યક્ત કરતું હતું. યુવાઓ દેશનું ઘડતર મજબૂત કરે છે અને આવી ભાવનાઓ દરેક યુવાઓમાં આવે તો ક્યાંય ગરીબ પૈસાદારનો ભેદભાવ જોવા જ ન મળે. આવા કાર્ય બદલ આ યુવાઓ ખરેખર પ્રશંસા ને પાત્ર છે જેના માટે ગર્વ અનુભવવો દરેક નાગરિકની ફરજ પણ છે.

સંજીવ રાજપુત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *