Breaking NewsLatest

સાબરકાંઠાના ખેડબ્રહમાંની કૃષિ પોલીટેકનિક ખાતે પશુપાલકોને પશુ દાણ વિતરણ કાર્યક્રમ યોજાયો

જિલ્લાના ૧૫૦ જેટલા ખેડૂતોને સહાયનું વિતરણ કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

પશુ સંશોધન કેન્દ્ર,સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિ નગર અને વનબંધુ કૃષિ પોલટેકનિક ખેડબ્રહમા સંયુક્ત ઉપક્રમે આદિવાસી ખેડૂતોને પશુ દાણ અને મિનરલ મિક્સચર વિતરણ તેમજ મકાઈ પાક પરના બાયો ફર્ટિલાઈઝરના નિદર્શન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પશુ સંશોધન કેન્દ્રના સંશોધક વૈજ્ઞાનિક શ્રી ડો. એચ. એચ. પંચાસરાએ આરસીએઆર દ્વારા ચાલતી કાંકરેજ ગાયમાં સંતતિ પરીક્ષણ યોજનાની સંપૂર્ણ માહિતી આપી હતી. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. પી. ટી. પટેલે દેશી ગાયોને જાળવણી કરી પ્રાકૃતિક કૃષિને વેગ મળે એવા પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત સરદાર કૃષિ યુનર્વિસટીના સંશોધન નિયામક શ્રી ડો. બી. એસ. દેવરાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે માનવીય સ્વાસ્થય પર માઠી અસર થાય છે. આથી દેશી ગાયોની પાલન થકી માનવીય સ્વાસ્થના જોખમને ટાળવું જોઇએ. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા ખેડૂત ભાઈ બહેનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં ડો. વી. એમ. પટેલ, ડો. કે. એન. પ્રજાપતિ તેમજ સમગ્ર કૃષિ પોલીટેકનિકનો સ્ટાફ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ અને ખેડૂતો હાજર રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *