Breaking NewsLatest

સાબરકાંઠા સામાજીક વનિકરણ વિભાગ હેઠળના લાભાર્થીઓ કેન્દ્રીત યોજનાઓના લાભ લેવા જણાવાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

નાયબ વન સંરક્ષક સામાજીક વનિકરણ વિભાગ સાબરકાંઠા હિંમતનગર દ્વારાજાહેર જનતા જોગ અમલ કરવામાં આવે છે કે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાઓમાં રહેતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માગતા હોય જેઓ યોજના માટે પાત્રતા ધરાવતા હોય તેઓએ તાલુકા સબંધિત રેંજ ફોરેસ્ટ ઓફિસ ખાતેથી યોજના વાઇઝ કોરા ફોર્મ મેળવીને આગામી ૧૫ મે ૨૦૨૨ સુધી જે તે કચેરીમાં ભરીને જમા કરાવવાના રહેશે.
સામાજીક વનીકરણ યોજના બિન આદિવાસી ધારકનું નામ વિકેન્દ્રીત પ્રજાકીય નર્સરી આયોજનમાં રોપા દીઠ સહાયનું ધોરણ રૂ.૨.૨૦ પૈસા, જ્યારે ફાર્મ ફોરેસ્ટ્રી વાવેતર માટે રૂ. ૪ સહાય જેમાં લાભાર્થી માલિકીની જમીન ધરાવતા કોઇ પણ જાતિના લાભાર્થી અરજી કરી શકે છે.
જ્યારે સામાજીક વનિકરણ યોજના આદિવાસી સહાયનું ધોરણ સરખું જ રહેશે.પરંતુ તેમાં માલિકીની જમીન ધરાવતા ફક્ત અનુસૂચિત જનજાતિ લાભાર્થે અરજી કરી શકશે.
ખાસ અંગભૂત યોજનામાં વિકેન્દ્રીત પ્રજાકીય નર્સરી માટે રૂ.૨.૨૦ પૈસા,સ્વસહાય જૂથ નર્સરી માટે રૂ. ૯.૦૦ આર.ડી.એફ.એલ, વાવેતર માટે રૂ. ૪.૦૦ સહાયનું ધોરણ રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા માલિકીની જમીન ધરાવતા ફક્ત અનુસૂચિત જનજાતિના લાભાર્થી અરજી કરી શકશે.
વન મહોત્સવ હેઠળ રોપા વિતરણ માટે ૧૦ X ૨૦ અને ૧૫ X ૨૫ માટે વિનામુલ્યે રહેશે. જ્યારે ૨૦ X ૩૦ માટે સહાયનું ધોરણ રૂ.૭.૫૦ રોપા દીઠ રહેશે.અને ૩૦ X ૪૦ ઘટક માટે રૂ. ૧૫.૦૦ રોપા દિઠ રહેશે.કોઇ પણ વ્યક્તિ/સંસ્થા પોતાના ઉપયોગ માટે જોઇએ તેટલા રોપા તેમના તાલુકામાં આવેલ સામાજીક વનીકરણ વિભાગની તમામ નર્સરીઓ ખાતેથી મેળવી શકશે. આવો આપણે સૌ સાથે મળી નંદન વનનું સપનું સાકાર કરવું છે. ગામડે ગામડે વૃદાવન કરવું છે. તેમ એસ.ડી.પટેલ નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *