Latest

સુરતથી સિન્થેટિક ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે નેચરલ હીરા માટે જાણીતા સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી લેબગ્રોન સિન્થેટિક ડાયમંડની ચમક વધી છે નેચરલ હીરાનો ગ્રોથ રેટ 48.80 ટકા લેખે જ્યારે લેબગ્રોન ડાયમંડનો ગ્રોથ 105.53 ટકા લેખે થયો છે

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

           છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનારા ઉદ્યોગકારો અને લેબ્રોન હીરા માં જોડાઈ ગયા છે સુરતમાં લેબગ્રોન ડાયમંડ બનાવવા અને લેફ્ટલેબગ્રોન ડાયમંડ કટ અને પોલીસિંગ પર પ્રોસેસિંગ કરવાનું કામ મોટાપાયે થઇ રહ્યું છે સુરતમાં આશરે દોઢ લાખ રત્નકલાકારો સિન્થેટિક ડાયમંડના કામોમાં જોડાઈ ગયા છે હીરાઉધોગકારો માનવું છે કે આવનારા દિવસોમાં પણ લેબગ્રોન ડાયમંડ નો વિકાસ ખૂબ જ ઝડપથી થશે હીરાઉધોગના પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતને કટ અને પોલીસિંગ નું કેન્દ્ર માનવામાં આવે છે બે ત્રણ વર્ષ પહેલા લેબગ્રોન ડાયમંડનો વેપાર ઓછો હતો જોકે ત્યારબાદ સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડના વેપાર અંગે નવી પોલિસી જારી કરવામાં આવતા અને ઉદ્યોગકારોની મહેનત ને લીધે તેનો નિકાસ ખૂબ જ તીવ્ર ગતિએ વધ્યું છે નેચુરલ હીરા કરતાં તેઓ માં ઓછું રોકાણ હોવાથી કેટલાક હીરાઉધોગકારો પણ તેમાં જોડાઈ ગયા છે સુરતમાં ચીનથી આવતા સીડી હીરા પર કટ અને પોલીસિંગ કરવાનું કામ મોટા પાયે શરૂ થયું છે તે ઉપરાંત કેટલાક મોટા ઉધોગકારો લેબગ્રોન ડાયમંડ બનાવી પણ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનનું કામ શરૂ થયું છે

               જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતના લેબગ્રોન ડાયમંડની અમેરિકામાં સારી ડિમાન્ડ છે મોટા પાયે ત્યાંજ નિકાસ કરવામાં આવે છે નેચુરલ હીરાની સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ નવી તકો ઊભી થઈ છે યંગ જનરેશનમાં લેબગ્રોનડાયમંડની માંગ વધારે છે જે લોકો રિયલ ડાયમંડ એફટ નથી કરી શકતા તે પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી પસંદ કરી રહ્યા છે

સુરતથી સિન્થેટિક ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે…

નેચરલ હીરાનું ગ્રોથ રેટ ૪૮.૮૦ટકા લેખે જ્યારે લેવગ્રોન ડ્યમંડનો ગ્રોથ ૧૦૫.૫૩ ટકા લેખે થયો છે…

સુરતમાં આશરે દોઢ લાખ રત્નકલાકારો સિન્થેટિક ડાયમંડ ના કામોમાં જોડાઈ ગયા છે..

સુરતને કટ અને પોલીસિંગ નું કેન્દ્ર માનવામાં આવે છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *