Latest

અંબાજી મંદિરમાં 100 ગ્રામ જેટલા વજનના 6 લાખ ની કિંમતના સોનાનાં ઘરેણાં ભેટ આવ્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે.એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે અને આ કારણે જ ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.

મંગળવારે પણ ધોળકા તાલુકાના ભક્ત દ્વારા 1 કિલો સોનુ દાન આપવામાં આવ્યું હતું. બુધવારે સવારે પણ માઈ ભકત દ્વારા 11 લાખ રૂપિયા નો સુવર્ણશિખર માટે ચેક આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ બુધવારે બપોરે અન્ય માઈ ભક્ત દ્વારા 6 લાખ રૂપિયાની કિંમતના 100 ગ્રામ જેટલા દાગીના માતાજીને ભેટ અપાયા હતા ટેમ્પલ ઇસ્પેક્ટર પ્રવીણપુરી બાવા દ્વારા તેનો સ્વીકાર કરાયો હતો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 586

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *