Latest

સિવિલ હોસ્પિટલમાં 193 મું અંગદાન: અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની, લીવર, બે આંખો તથા ચામડીનું દાન મળ્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩ મું અંગદાન થયું છે. વધુ વિગતો જોઈએ તો, અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને તા. 16.05.25 ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ ૪૮ કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતા આખરે તેઓને તબીબો દ્વારા તા. 18.05.25 ના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ , કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઇના પરિવારજનોને અંગદાનના મહાત્મય વિશેની સમજણ આપવામાં આવી. પરોપકાર ભાવ સાથે હેમંતભાઈના માતા શારદાબહેને કઠણ કાળજે પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી.

સંમતિ મળ્યા બાદ બ્રેઇનડેડ હેમંત સોનીના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી. સમગ્ર પ્રક્રિયા ના અંતે બે કિડની, લીવરનું દાન મળ્યું. જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું. જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમજ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 અંગોનું દાન મળ્યું છે જેના થકી 616 વ્યક્તિઓમાં નવા જીવન નો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છીએ. તેમ ડો. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યુ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *