Latest

2023 ભાદરવી મહાકુંભ, અંબાજી ખાતે જાહેર મિટિંગ યોજાઇ 1600 સંઘોનું રજીસ્ટ્રેશન

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે અંબાજીમાં ભાદરવી મહામેળાનું અનેરૂ મહત્વ છે.

2023 ના ભાદરવી મહામેળાની તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તૈયાર છે ત્યારે અંબાજી મેળામાં ગુજરાત ભરમાંથી આવતા વિવિધ સંઘોનુ ગ્રુપ ભાદરવી પૂનમીયા સેવા સંઘ દ્વારા આજે અંબાજી ખાતે જાહેર મીટીંગ યોજાઇ હતી જેમાં વહીવટી અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. અંબાજી મંદિરના ચેરમેન અને અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા અને જિલ્લા પોલીસ વડા દ્વારા પણ મેળાને લગતી માહિતી આપવામાં આવી હતી.

23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરવી મહામેળો યોજાનાર છે ત્યારે આજે અંબાજી ખાતે અગ્રવાલ સમાજમાં ભાદરવી પૂનમિયા સેવા સંઘ દ્વારા જાહેર મીટીંગ યોજાઇ હતી અને આ મિટિંગમાં 1600 સંઘોનું રજીસ્ટ્રેશન થયું હતું તેવી માહિતી પણ અપાઈ હતી. ગુજરાત ભરમાંથી આવતા સંઘો અને બહારથી આવતા સંઘો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રોજ સવારે સાંજે લાઈવ આરતી ભક્તો ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકે છે. આ વખતે ભાદરવી મેળામાં 35 લાખ જેટલા શ્રદ્ધાળુ આવે તેવી શક્યતા.

:- અંબાજી મંદિર અને ટ્રસ્ટ ની માહિતી માત્ર એક મેસેજ થી મળી જશે :-

અંબાજી ખાતે આવનાર માઇ ભક્તો હવે માત્ર એક જ મેસેજ થી દર્શન સહિતની વિવિધ માહિતીઓ પોતાના મોબાઈલમાં મેળવી શકશે. ટ્રસ્ટ તરફથી સ્કેન કોડ ની માહીતી અપાઈ

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *