Latest

48 કલાક નો અલટીમેટમ, હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિર મા મોહનથાળ નો પ્રસાદ બંદ ન કરાયે તે માટે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી

અંબાજી મંદિરમાં વર્ષોથી વેચાણ થતું મોહનથાળ પ્રસાદ ને બંધ કરવા ના નિર્ણય ને લઈ ગ્રામજનો વિરુદ્ધ પ્રદર્શન કર્યો છે. ત્યારે આજે રાત્રે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળ પ્રસાદ ને બંદ કરવા ના નિર્ણય ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને હિન્દુ રક્ષા સમિતિ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે ત્યારે જે અગર 48 કલાકમાં અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળ નો પ્રસાદ મંદિરમાં ચાલુ કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી છે.

હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા 48 કલાક મા અંબાજી મંદિરમાં મોહનથાળ ફરીથી ચાલુ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સાથે સાથે હિન્દુ રક્ષા સમિતિ ના સભ્યો દ્વારા અંબાજી બંધ રાખી અને ભૂખ હડતાલ પર ઉતરવાની પણ તૈયારીઓ કરવાની મશા દર્શાવી છે.

તો આજે રાત્રે અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ પર હિન્દુ રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યારે હિન્દૂ હિત રક્ષા સમિતિ ની ઉગ્ર માંગ ઉઠી પામી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ફરીથી ચાલુ કરવામાં આવે.

અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ફરીથી ચાલુ ન કરવામાં આવે તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચારવા માં આવી છે .હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ના બદલે ચીકી પ્રસાદનું વિતરણ કરવાની વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *