Latest

૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ, કલરવ સ્કુલ અને બી-કનાઈ સ્કૂલ મોડાસા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમની દબદબા ભેર કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ ને ગુરુવારના રોજ મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ, કલરવ સ્કુલ અને બી-કનાઈ સ્કૂલ મોડાસા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનકુમાર ર. શાહ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો, આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ, માંડલ સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો, વહીવટી મિત્રો, નગરજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને શિક્ષક મિત્રોને પ્રમુખશ્રી દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.

ત્યારબાદ વિદ્યાર્થીઓ વિશિષ્ઠ પરેડ રજુ કરવામાં આવી હતી. કેળવણી મંડળના આધ્યસ્થાપક મથુરદાસ લાલજીભાઈ ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. આ ધ્વજવંદન સમારોહ પ્રસંગે પ્રમુખશ્રી દ્વારા વર્ષ દરમ્યાનની વિશિષ્ઠ સિદ્ધિઓની રજૂઆત કરવામાં આવી. અને બાળકોમાં દેશ પ્રેમ ના બીજ રોપાય તેવું મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું હતો. ધ્વજવંદનનો આ સમગ્ર કાર્યક્રમ શાળાની યુ-ટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *