Latest

7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન છે અત્રે ICU, ઓપરેશન, ડાયાલિસિસ, ડિલિવરી, ઇન્ડોર વિભાગ,ઓપીડી,લેબ, ફાર્મસી,xray, વિવિધ ડોકટોર અને સ્ટાફ દ્વારા દર્દીને સારવાર આપવામાં આવે છે જેમાં છેલ્લા ૪ મહિનામાં ૫૦૦થી વધુ પ્રસુતિ થઇ છે અને મેજર ઓપરેશન 168, કરવામાં આવેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વિકાસ સપ્તાહ ૭ થી ૧૫ ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવેલ છે.

જેમાં TBના સચોટ નિદાન માટે TRUENAAT મશીન હોસ્પિટલના અધિક્ષક ડૉ.વાય કે મકવાણા, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડૉ. નયન મકવાણા,દાંતા રાજવી પરીવારના માનવેન્દ્રસિંહ પરમાર તેમજ ભવાની નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલ સ્ટાફ તથા દર્દીઓની હાજરીમાં આજથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

જેની કિંમત આશરે 15 થી 17 લાખ કિંમતની છે.તેનાથી અંબાજી હોસ્પિટલ ખાતે ટીબી નાબૂદી અભિયાન મા તેમજ ટીબી ના રોગ નુ સચોટ નિદાન અને સારવાર માં મદદરૂપ થશે.

તેમજ દાંતના રોગ અને કેન્સર માટે સ્ક્રીનીંગ કેમ્પ તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હોસ્પિટલના ડોક્ટર તેમજ દંતસર્જન ડૉ.મિહિર નાયક અને ડૉ.કૃષ્ણ રાવલ દ્વારા ભવાની નર્સિંગ કોલેજના નર્સિંગ સ્ટુડન્ટ,દર્દીઓ અને સ્ટાફનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું

તેમજ માનસિક રોગના નિષ્ણાત ડૉ.લૌકિક દરજી દ્વારા માનસીક રોગની જાણકારી દર્દીઓને તથા નર્સિંગ સ્ટુડન્ટ, હોસ્પિટલ સ્ટાફને માનસિક રોગના કારણે પડતી તકલીફો તેમજ સરકાર દ્વારા જે સારવાર આપવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવે છે. આમ દર્દી દ્વારા હોસ્પિટલ ની કામગીરી વખાણવામાં આવી હતી અને સ્ટાફ નો આભાર માન્યો હતો.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *