Latest

આગામી તા. ૩૦ ના રોજ વડાપ્રધાનશ્રીની મુલાકાતને અનુલક્ષી અંબાજી ખાતે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

બેઠક બાદ મંત્રીશ્રીએ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી

આગામી તા.૩૦ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે અંબાજી ખાતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું.

મંત્રીશ્રીએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, ભોજન, લોકાર્પણ/ ખાતમૂર્હત, જાહેરસભા, અંબાજી મંદિરમાં દર્શન અને ગબ્બર ખાતે થનાર મહાઆરતી સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી.

બેઠક બાદ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલ અને શ્રી દિનેશભાઇ અનાવાડીયા, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ અને શ્રી સુરેશભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, વહીવટદારશ્રી આર. કે. પટેલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *