Breaking NewsLatest

એશીયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ અલંગ ખાતે પરપ્રાંતિય મજૂરોની હાલત ખુબજ કાફીડી બની છે. અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં અંદાજે 200 થી 250 પરપ્રાંતિય મજૂરોના જીવન જોખમે જીવન પસાર કરી રહ્યા છે.

ભાવનગરના જીવાદોરી સમાન ગણાતા ઉદ્યોગોમાંનો એક એવા અલંગ ખાતે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે વધુ એક સમસ્યા સામે આવી હતી. એશીયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ અલંગ ખાતે પરપ્રાંતિય મજૂરોની હાલત ખુબજ કાફીડી બની છે. અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં અંદાજે 200 થી 250 પરપ્રાંતિય મજૂરોના જીવન જોખમે જીવન પસાર કરી રહ્યા છે. અલંગ ખાતે અન્ય રાજ્ય માંથી આવેલા પરપ્રાંતિય મજૂરો 15 વર્ષ થી અહીંયા રહે છે. દર ચોમાસે આ પ્લોટ નંબર 86, 87, 87A માંની પાસે પાણી ભરાઈ જાય છે. અને ખોલીમાં પાણી ઘુસી જાય છે. જ્યારે પણ દરિયાની ભરતી હોય ત્યારે આ વિસ્તારમાં 40 થી 50 ખોલીઓ આવેલી છે. અને જેમાં દરિયાણા પાણી આવી જતા મજૂરો મુશ્કેલીમાં મુકાય છે. પોતાનું પેટીયું રળવા આવેલા મજૂરો ન છૂટકે જીવના જોખમે રહેવા મજબુર બને છે. નાના ગરીબ માણસોનું GMB ના અધિકારીઓ સાંભળવતા જ નથી. આ અંગે અનેકવાર GMB ને રજુવાત કરવા છતાં આજ દિન સુધી ધ્યાનમાં લેતું નથી. દરિયા કિનારે હોવા થી કોઈવાર મોટી સમસ્યા સર્જાશે તો તેનું જવાબદાર કોણ રહેશે તેવા સવાલો મજૂરોના આગેવાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે GMB, તંત્ર અને શિપબ્રેકીંગ યાર્ડના પ્લોટ માલિકો યોગ્ય કાર્યવાહી કરી મજૂરોને ન્યાય આપે અને રહેવાની સગવડ કરી આપે તેવી માંગ ઉઠી રહી છે.

 

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *