Latest

ગોઝારો બુધવાર અંબાજીમાં અકસ્માતની બે ઘટના, કોઈ જાનહાની નહિ

અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે અંબાજી પંથકમાં આજે ગોઝારો બુધવાર સાબિત થયો હતો . જેમા સવારે આબુરોડ માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી,જેમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા અને કાર ચાલક કારની ટક્કર મારીને ભાગી ગયો હતો અને આગળ કાર બીનવારસી હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.

આજે સાંજે પ્રજાપતિ ભવન પાસે લાઈટો ન હોવાના લીધે હાઇવે માર્ગ પર અંબાજી તરફ આવતી ઈકો કારે માર્ગ પર જઈ રહેલી ભેંસોને અડફેટે લીધી હતી,જેમાં ત્રણ ભેંસોને ઇજા થવા પામી હતી.લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

51 શક્તિપીઠ સર્કલથી કામાક્ષી મંદિર સુધી હાઇવે માર્ગ પર અંધારુ હોવાના લીધે અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.લોકોએ આ બાબતે રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર લાઇટો ચાલુ કરતું નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *