Latest

યાત્રાધામ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે માતાજીના દર્શન કર્યા

 

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આજે મહા સુદ પૂનમના દિવસે અન્ન અન્ને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા. મંત્રીશ્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. અંબાજી મંદિર ખાતે મંત્રીએ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિરમાં ગર્ભગૃહ માં અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીશ્રીનું ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 620

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *