Latest

અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

અગાઉ અમુક દીક્ષિત પૂજારીઓ મંદિર માં પૂજા કરી ચૂક્યા હોવા છતાં તેમને બાજુ પર મૂકી ઘર ના સભ્યો ને નિમણૂક…!!!!

એક જ કુટુંબ ના સભ્યો માંથી અમુક સભ્યો ને પૂજારી તરીકે હક બાકી ના ને બરતરફ કરાયા……!!!

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ના ચાચર ચોક ખાતે આવેલ માતાજી ની ગાદી ( ભટ્ટજી મહારાજ ની ગાદી ) ના સંચાલકો ની ધુપ્પલબાજી અને મનમાની સહિત મન મરજી મુજબ ના વહીવટ અવાર નવાર સામે આવ્યા કરે છે .

ત્યારે વગર હકે કાયદા અને હાઇકોર્ટે ના હુકમ નું ઉલ્લંઘન કરી પોતાની મરજી મુજબ વર્તતા આ ગાદી ના સંચાલકો ઉપર જાણે કોઈ નો અંકુશ છે જ નહીં તેમ હાઈ કોર્ટ ના હુકમ નો પણ અનાદર કરી કોર્ટ થી પણ ઉપર થઈ ગયા હોય તેમ વર્તી રહ્યા છે.

જેમાં અગાઉ ચાલી રહેલ ગુજરાત હાઇકોર્ટે 6 માસ દરમિયાન નાવ પુજારી નિમણૂક કરવામાં ઓર્ડર  કરાયેલ પૂજારીઓ ના વંશ વારસા ના હક દાવા ને લઈ  હાઇ કોર્ટ ઓફ ગુજરાત દ્વારા હક દાવા ને નાબૂદ કરતો ચુકાદો વર્ષ ૨૦૦૬ માં સ્કીમ ૩૯ મુજબ આપેલ કે વય મર્યાદા પૂર્ણ થયા બાદ નવા પૂજારી ની નિમણૂક કરવી અંબાજી મંદિર ટ્રસ્ટ ના નક્કી કરાયેલ નીતિ નિયમો ,લાયકાત અને અનુભવ ના આધારે કરવાની હતી

.જેને આજ ૨૦ વર્ષ જેટલો સમયગાળા પૂર્ણ થવા છતાં પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કે ગાદી સંચાલકો દ્વારા આ હુકમ નું પાલન   કરાતું નથી ત્યારે  અંદરખાને અને અંગત રીતે ફાયદો અને વિકાસ ગાદી સંચાલકો નો પોતાનો જ થયો અને કરાયો છે ત્યારે હાઇકોર્ટે  ના હુકમ નું ઉલ્લંઘન કરી મનમાની કરતા ગાદી ના સંચાલક એવા પૂજારીઓ એટલા તો સ્વાર્થ માં પરોવાયા કે દીક્ષિત થયેલા પોતાના જ પરિવાર કુટુંબ ના સભ્યો જેઓ અહીં પહેલા ના સમય માં પૂજા કરી ને ગયા હોવા છતાં પણ તેમને વર્તમાન માં પૂજા માંથી બાદ કરી ગણતરી ના વ્યક્તિઓ ને પૂજારી તરીકે નિમણૂક આપી કામ કરી રહ્યા છે .

ત્યારે દીક્ષિત હોવા છતાં પણ એકલા પોતે જ પૂજા કરવી અને હકદાર હોવા છતાં પણ બીજા દીક્ષિત અને અનુભવી પૂજારીઓ ને પૂજા ના કરવા દેવી તે કેટલું યોગ્ય છે? ત્યારે અંદરખાને ગોડમોડ વહીવટ કરતા આ સંચાલકો પોતાના સ્વાર્થ ખાતર ગમે તેમ વહીવટ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અંબાજી મંદિરમાં દીક્ષિત પુજારીઓ નામ
ઠાકર સચિન હરેશભાઈ
ઠાકર ગૌરવ હરીશભાઈ
ઠાકર આનંદ હરીશભાઈ
ઠાકર અનંત હસમુખ ભાઈ
ઠાકર વિપુલ ભાઈ અશોકભાઈ
ઠાકર ધ્રુવ દેવી પ્રસાદ
ઠાકર કશ્યપ દેવીપ્રસાદ
ઠાકર આનંદભાઈ વિષ્ણુપ્રસાદ
ઠાકર નિરંજભાઈ વિષ્ણુપ્રસાદ

કલેકટર કચેરીઓ ખોટું પેઢી નામું જાહેર કરી ,કૌટુંબિક વ્યક્તિઓ ને પૂજા  હક માંથી બાદ કર્યા……!!!!

સૂત્રો થી મળતી માહિતી મુજબ માતાજી ની ગાદી ના સંચાલકો દ્વારા જ્યારે કલેકટર કચેરી માં પૂજા અધિકાર માટે વારસાઈ હક દાવો માંડવામાં આવેલ હતો તે દરમિયાન પણ પોતાના સ્વાર્થ ખાતર પૂજા માં રજૂ કરેલ પેઢી નામું માં પણ ફેરફાર કરી એક જ પિતા ના બે સંતાનો ની પેઢીદાર વ્યક્તિઓ માંથી નાના ભાઈ ના વારસદાર પુત્રો ને પેઢીનામાં માંથી બાદ કરી ફક્ત મોટાભાઈ ના જ પુત્રો નો સમાવેશ કરી પેઢીનામું રજૂ કરી કલેકટરને પણ ગેરમાર્ગે દોરી પોતાનો પૂજા હક દાવો માંડ્યો હતો ત્યારે આવી ગેરરીતિ જે લોકો સાથે કરી શકતા હોય તો અંબાજી મંદિર ટ્રસ્ટ અને અન્ય ને તો શું ગણતરી માં લેતા જ હશે તે પ્રશ્ન  ઉભો થાય છે ત્યારે આવા ધુપ્પલબાજ સંચાલકો સામે ઊંડાણપૂર્વક cbi તપાસ કરાવી સત્ય હકીકત સામે લાવી ખોટા વારસાઈ હક જમાવતા સંચાલકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે, અને હુકમ ના ઉલ્લંઘન કરી ઉપરાંત હકદાર દીક્ષિત બ્રાહ્મણો ને પૂજા અધિકાર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *