Latest

અમદાવાદ રિવરફ્રન્ટ પર NCC નિયામકની ઉપસ્થિતિમાં કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું.

અમદાવાદ: એનસીસી નિયામક ગુજરાત દાદરા નગર હવેલી દમણ અને દીવ ના એનસીસી કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના દ્વારા ૦૨ જુલાઈ ૨૦૨૨ ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૪૭ એનસીસી કેડેટ્સ અને રિવરફ્રન્ટના કર્મચારીઓ દ્વારા ૧૦૦૦ રોપાઓ વાવવામાં આવ્યા હતા.

આ સમારંભમાં એનસીસી નિયામક ગુજરાત દાદરા નગર હવેલી દમણ અને દીવ ના મેજર જનરલ અરવિંદ કપૂર, એડિશનલ ડાયરેક્ટર જનરલ અને શ્રી કેશવ વર્મા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ હાજર રહયા હતા.

 

ચેરમેન શ્રી કેશવ વર્માએ સમગ્ર રિવરફ્રન્ટને લીલોછમ બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ એનસીસી કેડેટ્સને બિરદાવ્યા હતા. મેજર જનરલ અરવિંદ કપૂર કેડેટ્સને ભવિષ્યમાં વૃક્ષારોપણ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અને રોપેલા રોપાઓનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. એનસીસી કેડેટ્સે વધુ સારા પર્યાવરણમાં યોગદાન આપવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *