Latest

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ ના ધારાસભ્યો ચૂંટાઈ ને આવતા હતા ત્યારે હાલમાં ભાજપના ઉમેદવારો બે ચૂંટાઈ આવ્યા તો અરવલ્લી માં મંત્રી મંડળ માં સમાવેશ કરવામાં આવે તેવી લોક માગણી

 

કપિલ પટેલ દ્વારાઅરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ગુજરાતમાં સરકાર ભાજપ ની હોય તેના વિરુધ્ધ ના ધારાસભ્યો હોવાથી અરવલ્લી જિલ્લામાં વિકાસ ના કામો માં ખુબજ તકલીફો પડતી તેમજ રાજ્ય સરકારના મંત્રીમંડળમાં પણ વિરોધ પક્ષના ધારાસભ્યો હોવાથી 35 વર્ષ સુધી મંત્રી મંડળ વગર રહ્યું હતું ત્યારે આ ચૂંટણીમાં ભાજપનો બે સીટો પર દબદબાભેર જંગી બહુમતી થી કોંગ્રેસના ગઢ ગણાતી આદિવાસી અનામત સીટ પર પી સી બરંડા ની 30000 ની જંગી લીડ મેળવી છે ત્યારે તેમનો મંત્રી મંડળ માં સમાવેશ કરવામાં આવે તો આવનાર લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓ ના ભાજપ માટે મત મેળવવા ખુબજ ઉપયોગી થઈ શકે તેવી આ વિસ્તારમાં જનતા નો એક સુર ઉભરી ઊઠ્યો છે

તેવીજ રીતે મોડાસા ની બેઠક પર પણ છેલ્લી કેટલીક ટર્મ થી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર અડિંગો જમાવી બેઠા હતા તેમને ભાજપના ભીખુસિંહ પરમારે ભારે રસાકસી લીડ થી ઘેર ભેગા કરવામાં સફળ રહ્યા હતા આમ મોડાસા અને ભિલોડા બંને વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં મંત્રી મંડળ માં સમાવેશ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે

અરવલ્લી ભિલોડા સીટ પરથી ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર પી સી બરંડા પૂર્વ આઈ પી એસ પદ ત્યાગ કરી ભાજપે તેમને ગત વિધાનસભા માં ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી પણ ખૂબ ઓછા સમયમાં પ્રચાર કરવામાં તેમનો પરાજય થયો હતો

પી સી બરંડા આઈ પી એસ તરીકે નો ત્યાગ કર્યો તેવીજ રીતે તેમની પત્ની ચંદ્રિકા બરંડા પણ નાયબ કલેકટર તરીકે નો ત્યાગ કરી રાજકારણ માં લોક સેવાઓ કરવા જોડાયા છે એક નવાઈ પમાડે તેવી વાત તો એ છેકે આ દંપતી ને કોઈપણ સંતાન સુખ નથી ત્યારે આ પરિવારના સભ્યો બધાજ ચંદુભાઈ બરંડા તેમજ નિવૃત પ્રિન્સીપાલ આર સી પંડ્યા એ પણ નિસ્વાર્થ અને નિખાલસ પણે ભિલોડા અને મેઘરજ તાલુકા સહિત ની અરવલ્લી જિલ્લા ની જનતા જનાર્દન તેમનો પરિવાર સમજી લોક સેવા કરવા તત્પરતા ધરાવે છે

ત્યારે ભારત ના લોક લાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અને રાજકારણમાં ચાણક્ય એવા ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના કર્મઠ અને દીર્ઘ દૃષ્ટિ ધરાવતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપના સી આર પાટીલ સાહિત કેન્દ્રીય અને પ્રદેશ નું નેતૃત્વમાં એક અરવલ્લી જિલ્લામાં મંત્રી મંડળ માં ભીલીડા સીટ પરથી કોંગ્રેસ નો અભેદ કિલ્લો તોડનાર પી સી બરંડા નો સમાવેશ કરવામાં આવે તેવી અરવલ્લી જિલ્લાની જનતા ની એક માંગ ઉઠી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *