Latest

બનાસકાંઠા વન વિભાગ અંબાજી રેન્જ દ્વારા વન્ય પ્રાણીઓથી સંઘર્ષ ટાળવા પ્રજાજનોને તાલીમ અપાઈ

વન્ય પ્રાણીઓ અવાજથી ડરે છે,જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય તો રીંછ કે દીપડો હુમલો કરે તેવી શક્યતાઓ રહેલી છે આવી સ્થિતિ નિવારવા માટે મોટે મોટેથી વાતો કરવી અથવા તો રેડિયો વગાડવો જોઈએ કારણ કે અવાજથી વન્ય પ્રાણીઓ ગભરાતા હોય છે

આવી સમજ અંબાજીમાં બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં સમજ અપાઈ હતી .અંબાજીમાં વન વિભાગ દ્વારા બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં એફડીએઈડીસી જે એફએમસી મંડળીના સભ્યો તેમજ આજુબાજુના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

જેમને નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક શ્રી ઉદય વોરા ટીએલ પટેલ નિવૃત નાયબ વન સંરક્ષક શ્રી ગાંધીનગર તેમજ શ્રી જી જે મોદી મદદનીશ વન સંરક્ષક શ્રી અંબાજી સબ ડિવિઝન શ્રી જે એન રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંબાજી ઉત્તર એ વન્ય પ્રાણીઓના સંઘર્ષ ની સમસ્યા નિવારણ સારું વાઇલ્ડ લાઇફ એનિમલ બિહેવિયર અને સંઘર્ષ અટકાવવા ના ઉપાયો પ્રમોટિવ એક્ટિવિટી ઇકો ટુરીઝમ અને વન વિભાગની યોજના વન્ય હિંસક પ્રાણીઓના હુમલા થી થતા નુકસાન અંગે વળતર અને જોગવાઈની પ્રક્રિયાની માહિતી આપી હતી

દીપડા વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા શું શું કરવું જોઇએ.રાત ઢળી ગયા પછી ઘરના દરવાજા ખુલ્લા ન રાખો, ખેતરમાં હંમેશા જૂથમાં જાઓ, ટોર્ચ લાકડી લઈને નીકળો, સૌચક્રિયા માટે ઘરમાં જાજરૂ બાથરૂમ ની વ્યવસ્થા રાખવી, માંસાહાર બાદ વધેલો ખોરાક ઘરની બહાર ન નાખવો,તેનાથી માંસભક્ષી પ્રાણીઓ આવી શકે છે .

જંગલની આસપાસ એકલા જવાને બદલે સમૂહમાં જવાનું રાખો.ખેતરમાં ખુલ્લામાં ન સુવું. માંચડા ઉપર સુતી વખતે વન્ય પ્રાણી તેની ઉપર ન ચડી શકે તે માટે,સીડી કે ટેકો હટાવી લો. ઘરની આસપાસ જાળી-જોખરો દૂર કરી વિસ્તાર ચોખ્ખો રાખવો. પશુધન રેઢા ન છોડો. દેખરેખ હેઠળ ચરાવવા લઈ જાઓ. બાળકોને રમવા માટે એકલા ન રાખો, આપની દેખરેખ હેઠળ રમાડો.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

1 of 582

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *