Latest

ભાજપના જ સદસ્ય તેમના વિસ્તારના પ્રશ્નને લઈને જિલ્લા પંચાયતની સાધારણ સભામાં શાકભાજી લઈને ખેડૂતોની વેદના ઠાલવી

 

કોંગ્રેસ અને ભાજપ બંનેના સદસ્યો દ્વારા કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે મળી હતી, જેમાં વિવિધ છ જેટલા કાર્યોસૂચિ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી,

તેમજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંનેના સદસ્યો દ્વારા કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા જે બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ કે અધિકારીઓ જવાબ આપવામાં ટલ્લે ચડ્યા હતા, જો કે ભાજપના જ સદસ્ય તેમના વિસ્તારના પ્રશ્નને લઈને સાધારણ સભામાં શાકભાજી લઈને આવ્યા હતા.

સમગ્ર વેક્સિનેશનમાં કંઈક ખોટું થયું હોવાના આક્ષેપ વડાપ્રધાનના નામ સાથે કરતા હોબાળો ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં જિલ્લાની વિવિધ બેઠકોના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં છ જેટલા મુદાઓ ઉપર ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, તેમજ અધ્યક્ષ સ્થાનેથી બે ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વરતેજ બેઠકના બળદેવ સોલંકી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નમાં વિસંગતતા ઊભી થાય તેવા જવાબો અપાતા તેમણે તેની સામે સવાલો ઉઠાવ્યા હતા. વેક્સિનેશન બાબતે તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક જ દિવસમાં 55 હજાર જેટલા લોકોને કઈ રીતે વેક્સિનેશન આપી શકાય ? વેકસીનેશની કામગીરી ઓર સવાલ ઉઠાવતા તેમને સભામાં જણાવ્યું હતું કે એક જ મોબાઈલ નંબર થી અલગ અલગ અટક ધરાવતા તેમજ અલગ અલગ ધર્મના લોકોને વેક્સિનેશન અંગેનું રજીસ્ટ્રેશન કઈ રીતે શક્ય બને…?

સમગ્ર વેક્સિનેશનમાં કંઈક ખોટું થયું હોવાના આક્ષેપ વડાપ્રધાનના નામ સાથે કરતા હોબાળો થયો હતો.શાળાઓમાં હાલ 900 જેટલા ઓરડાની ઘટ જ્યારે જિલ્લામાં એકમાત્ર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા લાલુબેન ચૌહાણ માંગેલી માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં પંચાયત હસ્તકની શાળાઓમાં હાલ 900 જેટલા ઓરડાની ઘટ જોવા મળી રહી હોવાનું સામે આવ્યું હતું,

તેમણે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના જ વિસ્તારમાં હાલ બાળકો અભ્યાસની જગ્યાએ શાળાની ઓરડીમાં સ્વિમિંગ પૂલમાં નાહવા જતા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે,તળાજાના ગોરખી ગામમાં થતા પ્રખ્યાત રીંગણા અને કાકડી લઈ સભામાં આવ્યા જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષના જ તળાજા વિસ્તારના સદસ્યએ તેમની રજૂઆત મુદ્દે તળાજાના ગોરખી ગામમાં થતા પ્રખ્યાત રીંગણા અને કાકડી લઈ સભામાં આવ્યા હતા. તેમણે અધિકારીઓ અને આ શાકભાજી બતાવી અને કહ્યું હતું કે તેમના વિસ્તારમાં જો દરિયાના ખારાશ ને આગળ વધતી અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેમના પંથકની આ પ્રખ્યાત શાકભાજી નાશ પામી જશે.

તેમના વિસ્તારમાં થયેલા ચેક ડેમો અંગે માગેલી માહિતીમાં પૂરતી માહિતી ન મળતા તેમને અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ તેમના વિસ્તારના સરતાનપર બંધારો તાત્કાલિક બનાવવામાં આવે તો દરિયાની ખારાશ આગળ વધતી અટકાવી શકાય તેમ જણાવ્યું હતું.

જો કે જિલ્લા પંચાયતની આજની આ સાધારણ સભામાં મહુવાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી આર.સી મકવાણા પણ ઉપસ્થિત રહેતા તમામે તેમને આવકાર્યા હતા જ્યારે કોંગ્રેસના સદસ્યોએ સભામાં રજૂ થયેલા પ્રશ્નો અંગે સરકારમાં ધ્યાન દોરવા મીઠી ટકોર કરી હતી.

સ્પેશિયલ રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *