Latest

વિજપુરના કુકરવાડા એપીએમસી ખાતેથી મીડિયા થકી ગેરકાયદેસર સસ્તા અનાજના કારોબરનો થયો પર્દાફાશ

વિજાપુર, સંજીવ રાજપૂત: વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે મીડિયા દ્વારા ગરીબો અને ભૂલકાં બાળકો માટેના મળતા સસ્તા અનાજને બારોબાર વહેચી દેતા દુકાનદારનો પર્દાફાશ કરી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

વાત કરીએ તો મીડિયાને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કુકરવાડા એપીએમસી માર્કેટમાં શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની પ્લોટ નંબર 9 માં કલ્પેશભાઈ બાબુભાઇ મોદી દ્વારા વિવિધ ગામ અને અલગ અલગ જગ્યાઓ જેમ કે મંડળીઓ,

કંટ્રોલ અને આંગણવાડીઓનું ગેરકાયદેસર અનાજ ભેગું કરી તેને આસપાસની મિલોમાં ઊંચા ભાવે વેચી નાખવાનું જાણવા મળેલ જેને લઈ આ બાબતે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસરનો અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેની તાત્કાલિક જાણ મામલતદારને કરવામાં આવતા નાયબ મામલતદાર સાજન પટેલ, ગોડાઉન મેનેજર અને સ્ટાફગણ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.

તપાસ દરમ્યાન ગેરકાયદેસર ચણા, ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરી અને વજન દ્વારા તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો અને અનાજના સેમ્પલ લઈ સીલ મારી તાપસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અનાજનો જથ્થો સીઝ કરતા આશરે 100 કટ્ટા ચોખા, 13 કટ્ટા ચણા અને 21 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો

આ ઉપરાંત નાના ભૂલકાઓને આપવામાં આવતા આંગણવાડી ના ભોજનનું અનાજ પણ મળી આવ્યું હતું. જેને સીઝ કરી ગોડાઉન ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. આમ ઉપસ્થિત વિવિધ મીડિયા થકી ગરીબો અને બાળકો માટેના સસ્તા અનાજનો કાળા બજાર કરતા આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોમાં ચર્ચા મુજબ અગાઉ પણ એક કેસ દુકાનદાર કલ્પેશ મોદી ઉપર થઇ ચુક્યો છે અને છતાંય આ કાળો કારોબાર સતત ચાલુ રાખવામાં આવ્યો છે. વિચારો.. અત્યાર સુધી કેટલું અનાજ આ સગેવગે કરી ચુક્યો હશે. આ કૌભાંડના પર્દાફાશ માટે સ્થાનિક લોકો દ્વારા ઉપસ્થિત મીડિયાની કામગીરીને બિરદાવી હતી.

આ સમગ્ર કૌભાંડના પર્દાફાશમાં નાયબ મામલતદાર સાજન પટેલ અને ઉપસ્થિત તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહીને મીડિયા જગત બિરદાવે છે હવે જોવું એ રહ્યું કે આ કૌભાંડી સામે કડક પગલાં લેવાશે કે ફરી આ કારોબાર ચાલુ રહેશે.? આ જથ્થો ક્યાં ક્યાંથી આવતો હતો? ક્યાં મોકલાતો હતો વગેરેની સઘન તપાસ થાય તો ઘણું ખરું બહાર આવી શકે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *