Latest

ભાવનગરમાં બિપરજોય વાવાઝોડાની અસર સામે સામાજિક સંસ્થા આવી પક્ષીઓની વ્હારે

ત્રણ દિવસમાં ૫૦ થી વધુ પક્ષીઓના જીવ બચાવ્યા

ભાવનગરમાં બિપરજોય વાવાઝોડાની અસર સામે વરસાદ અને ભારે પવન ફૂકાવાને લીધે પક્ષીઓને અસર થઈ હતી ત્યારે ભાવનગરની રાજહંસ નેચર કલબ દ્વારા અંદાજીત 50 થી વધુ પક્ષીઓ અને ખિસકોલી ના બચ્ચાના જીવ બચાવવામાં આવ્યા હતા.

બિપરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં પોતાની અસર દેખાડી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ પવનની ઝડપ જોવા મળી હતી જેમાં પવન સાથે વરસાદ આવતા ૩ દિવસમાં અનેક પક્ષીઓ પ્રભાવીત થયા હતા.

જેમાં કબૂતર, દરજીડો, બુલબુલ, ચકલી, કાબર, ટીટોડી, કાંકણસાર, નવરંગ સહિતના ૫૦ થી વધુ પક્ષીઓના બચાવ કાર્ય કરવામાં આવ્યા હતા સાથે ખીસકોલીના બચ્ચાને પણ બચાવ કરી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં

જેમાં સ્વસ્થ થતાં ફરી પક્ષીઓને કુદરતમાં મુક્ત કરવામાં આવ્યા હતાં. સંપુર્ણ બચાવ કાર્ય વન વિભાગ ભાવનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સંપુર્ણ કામગીરી સંસ્થાના સભ્યો દ્વારા નિસ્વાર્થ ભાવે કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આવી કુદરતી આફતને પહોંચી વળવા તેમજ ૩૬૫ દિવસ ઘાયલ પક્ષી સારવાર ટીમમાં જોડાવા ભાવનગર શહેરની જનતાને અનુરોધ છે

આ કાર્યમાં જોડાવા અને મૂંગા પક્ષીઓના સેવાયજ્ઞમાં જોડાવા સભ્ય બનવા માટે ૯૮૨૪૯૧૩૯૧૨, ૯૯૯૮૧૫૧૬૨૬ પર સંપર્ક કરી શકાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *