Latest

અંબાજી બ્રહ્મપુરી વિસ્તાર હાઇસ્કુલ રોડ પર ભારે ગંદકી જોવા મળી, કાયમી નિકાલ આવે તેવી માંગ ઉઠી

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારો આવેલા છે આ વિસ્તારોમાં ભારે ગંદકી પણ જોવા મળે છે.વહીવટી તંત્ર દ્વારા અને પંચાયત દ્વારા કોઈ જ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી.અંબાજીના ગુલઝારી પુરામાં છેલ્લા ઘણા દિવસથી ગંદકીનો ઢગલો જોવા મળી રહ્યો છે આસપાસના લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે અને ગંદકીના પગલે બીમારી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

અંબાજી ગુલઝારી પુરા પાસે બ્રહ્નપુરી વિસ્તારમાં અવારનવાર ગંદકીના ઢગ ખડકાયા છે અને તંત્ર દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવતી નથી. આ વિસ્તારનાં લોકોનો મોટો આક્ષેપ છે કે સફાઈ અભિયાન આખા દેશમાં થાય છે પણ અમારા વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવતું નથી અને આ કારણે અમારા ઘરે મહેમાન આવે ત્યારે કચરો ગંદકી જોઇ નારાજગી અનુભવે છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *