Latest

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા.22 તથા 23 માર્ચ સુધી યોજાયેલ આ પ્રદર્શનનો જામનગરવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ કલાકારોની કલાને બિરદાવી હતી.

ચાર દિવસના આ વર્કશોપમાં ચિત્રકારોએ તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન રિલાયન્સના જનસંપર્ક અધિકારી આશિષભાઈ ખારોડના હસ્તે ટાઉનહોલ આર્ટ ગેલેરી ખાતે ખુલ્લુ મુકાયું હતું.આ પ્રસંગે જયેશભાઈ વાઘેલા તથા પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટક આશિષભાઈ ખારોડે રાજ્ય સરકાર દ્વારા સાહિત્ય કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે થતી પ્રવૃત્તિઓની આ તકે સરાહના કરી હતી અને નવોદિત ચિત્રકારોને તજજ્ઞો પાસેથી આ કાર્ય શાળા દરમિયાન મેળવેલ જ્ઞાનથી પોતાની કલાને સમૃદ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ કલાકારો પૈકીના કેટલાક ચિત્રકારોએ નગરના પંચેશ્વર ટાવર, રણમલ તળાવ અને મ્યુઝિયમ, જામ રાવળની પ્રતિમા, પેલેસ, સૈફી ટાવર ખંભાળિયા ગેટ વગેરે સ્થાપત્યોને પોતાની રંગરેખાઓથી કેનવાસ પર જીવંત કર્યા હતા.સાથે જ આયોજક સંસ્થા વતી જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીન પઠાણે સૌનું આભાર દર્શન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *