Latest

કેલિફોર્નિયા ખાતે આગમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

વૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં ફેલાયેલી ભયાનક આગ. લોસ એન્જેલસ થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક જંગલોમાં અનેક જગ્યાઓ પર ભયાનક આગ લાગી હતી અને હજારો એકર જમીનમાં વ્રુક્ષો અને માનવ જીવનને મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આગને કારણે હજારો લોકો બેઘર બન્યા છે અને ૨૪ થી વધુ લોકોના મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ કુદરતી આપદામા માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનો માટે રુપિયા પાંચ લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે.

આ રાશિ લોસ એન્જલસ સ્થિત રામકથાના શ્રોતા શ્રી રાજુભાઇ ચોલેરા અને તેમના પરિવારજનો દ્વારા સેવા રુપે રેડ ક્રોસ સંસ્થા ને પહોંચાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જયારે પણ કોઈ કુદરતી આપદાની પરિસ્થિતિ ઉભી થઈ છે તે સમયે પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે અને માનવતના ધોરણે સહાય મોકલી છે. તાાજેતરમાં ફ્રાન્સ માં વાવાઝોડું આવ્યું હતું જેમાં પણ બાપુએ સંવેદના રાશિ અર્પણ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *