Latest

અંબાજી ચાચર ચોકમાં આઠમા નોરતાએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું


  • કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, બનાસકાંઠા તથા જિલ્લા વહીવટીતંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી ચાલુ વર્ષે શક્તિ પર્વ- ૨૦૨૨-૨૩ ના આયોજનના ભાગરૂપે તા. ૩ નવેમ્બર-૨૦૨૨ના આઠમા નોરતાએ એક દિવસિય નવરાત્રિ મહોત્સવનું આયોજન અંબાજી ચાચર ચોકમાં કરવામાં આવ્યું હતું.

મા અંબાના ચાચર ચોકમાં બહોળી સંખ્યામાં માઇભક્તો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ એક દિવસીય કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કલાકારશ્રી અનુરાધા પોડવાલ, આશિતા પ્રજાપતિ અને અમિત પ્રજાપતિના સંગીતગૃપો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *