Latest

અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર પિતરાઈ ભાઈને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો

અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર પિતરાઈ ભાઈને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપરત કરી હતી. આ મમાલે સગીરાની માતાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો તેમજ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલા બહુર્વિદ્ધ વિસ્તારમાં પર પ્રાંતીય સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. જ્યાં પુનઃ એકવાર સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય પરિવારની 16 વર્ષ અને 9 માસની પુત્રીને ઉત્તર પ્રદેશમાં રહેતો સગો ભત્રીજા રાહુલ ઉર્ફે ઇન્દ્રેશ સુગર સિંગ પાલ દ્વારા ગત 16મી એપ્રિલના રોજ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.

પરિવારજનોએ સગીરાની શોધખોળ કરવા છતાં તે નહીં મળી આવતા તેના પિતરાઈ ભાઈ રાહુલ ઉર્ફે ઇન્દ્રેશ સુગર સિંગપાલ ભગાડી ગયો હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે સગીરાની માતાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ તેમજ અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ શરુ કરતા સગીરા અને તેને ભગાડી જનાર પિતરાઈ અમદાવાદના મીની છારા નગર પટેલ ટ્રાન્સપોર્ટ નજીક સરખેજ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

જેના આધારે પોલીસની એક ટીમ અમદાવાદ મોકલી સ્થાનિક પોલીસની મદદ મેળવી સગીરાને ભગાડી જનાર રાહુલ ઉર્ફે ઉર્ફે ઇન્દ્રેશ સુગર સિંગપાલને ઝડપી પાડયો હતો. પોલીસે સગીરાને મુક્ત કરાવી અંકલેશ્વર લઇ આવી હતી. પોલીસે તેમનું તબીબી પરીક્ષણ કરાવી અપહરણ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ વધુ તપાસ આરંભી હતી.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *