Latest

દાંતા ખાતે મહારાજાશ્રી રીધ્ધીરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વૃક્ષા રોપણ અને શહીદ વિરોના પરિવાજનોનું સન્માન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાઈ

દાંતા તાલુકાનો તાલુકા કક્ષાનો ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ શ્રી સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે મહારાજાશ્રી રીધ્ધીરાજસિંહ પરમાર, દાંતા સ્ટેટ ની અધ્યક્ષતામાં દેશભક્તિના માહોલમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શિલાફલકમનું અનાવરણ, શહિદ વિરોના પરિવારજનો નું સન્માન તેમજ વસુધા વન અંતર્ગત વૃક્ષા રોપણ જેવા વિવિધ કાર્યક્રમોની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. મહારાજાશ્રી રીધ્ધીરાજસિંહ પરમાર, દાંતા સ્ટેટ દ્વારા તિરંગો ફરકાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. તેમજ મારી માટી મારો દેશ અંતર્ગત હાથમાં માટી લઈ ઉપસ્થિત સૌ દ્વારા પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તો વિવિધ શાળાકીય પરીક્ષાઓ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંગઠન અગ્રણીઓ શ્રી નિલેશભાઈ બુંબડીયા, શ્રી લાતુભાઈ પારઘી, શ્રી માધુભાઈ ધ્રાંગી , શ્રી રવીન્દ્રભાઈ, શ્રી હરપાલસિંહ રાણા, સરકારી અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી

જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ…

નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો

નવસારી,સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *