Latest

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ હિરલબેન હિતેન્દ્રભાઇ પટેલને આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દિલ્હી ખાતે યોજનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે. જેના લીધે અમદાવાદ જિલ્લા સહિત ધોળકા તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી સાથે મહિલા સરપંચ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ હિરલબેન હિતેન્દ્રભાઇ પટેલ ગ્રામ પંચાયતનો સુંદર વહીવટ કરી રહ્યાં છે. આ ગામમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકારશ્રીની વાસ્મો અંતર્ગત ‘નલ સે જલ’ યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર થતાં JJMમાં યોજના અંતર્ગત ગામમાં આશરે ૪૦૦૦ જેટલી પાઇપ લાઇન નાખી અને જેમાં સરપંચ દ્વારા જાતે જ સુપરવિઝનની કામગીરી કરી બે ઊંચી ટાંકી મંજૂર કરાવી.

આમ, છેવાડાનાં ઘરો સુધી પૂરતા પ્રેશરથી પાણી વિતરણ કરવા માટે કરવામાં આવેલી આ પહેલ દ્વારા છ વાલ્વના બે વિસ્તારમાં અલગ હેડર કરી, વાલ્વ સિસ્ટમથી ગામમાં એક સમાન ધોરણે પાણીનું વિતરણ કરવામાં આવે છે.

આ મહિલા સરપંચએ પોતાની આગવી કોઠાસૂઝના પરિણામે સુંદર કામગીરી બજાવી, ગામના છેવાડાનાં ઘરો સુધી નળ દ્વારા દિવસ દરમ્યાન પાણી પહોંચાડવામાં સફળતા મેળવી છે. જે વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે લઈ આ સુંદર કામગીરી બદલ મહિલા સરપંચને આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમારોહમાં હાજર રહેવા ગુજરાત રાજ્યના માત્ર ચાર જિલ્લા-કચ્છ, અમદાવાદ, નવસારી અને સુરત જિલ્લાની મહિલા સરપંચોને જ આમંત્રણ મળ્યું છે, જેમાં ધોળકા તાલુકાનાં મહિલા સરપંચ હિરલબેનને પણ જલ શક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી આમંત્રણ મળ્યું છે.

આ મહિલા સરપંચ એ ગ્રામજનોને પીવાના પાણી માટે કરેલી કામગીરીની નોંધ છેક દિલ્હી સુધી લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ અને રક્ષા મંત્રાલય સહિત કેબિનેટ મંત્રી, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, વાસ્મો-અમદાવાદનાં યુનિટ મેનેજર રાજદેવ જે. બ્રહ્મભટ્ટ તથા જિલ્લા સંયોજક ભીખાભાઇ એસ. રબારીનો ગ્રામજનો વતી આભાર માની આવનારા દિવસોમાં પણ આ યોજનાને વધુ ગતિશીલ બનાવવાની ખાતરી આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *