bhavnagarEducationGujaratLatest

ભાવનગરમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજાઇ

ભાવનગરના ચિતરંજન ચોક વિદ્યાનગર ખાતેથી નશામુક્ત ભારત અભિયાન હેઠળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાની દેખરેખ હેઠળ આ રેલી યોજવામાં આવી જેમા એલ.આર.વળિયા આર્ટસ અને પી.આર.મહેતા,કોમર્સ કોલેજના એન.એસ.એસ.યુનિટના વિદ્યાર્થીઓ,ખીલ. બહેરા મુંગા શાળા અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમાજના માદક દ્રવ્યોથી લોકોને દુર રાખવા માટે જાગૃતિ આવે તે હેતુ માટે રેલી યોજાઇ હતી.જેમાં કુલ-૭૦૦ બાળકો દ્વારા ત્રણ રૂટમાં રેલી દ્વારા વિવિધ વિસ્તારમાં ફેરી કરી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા,કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર હર્ષવર્ધન મૌર્ય,બાળ સુરક્ષા અધિકારી એન.બી. ચૌહાણ,અંધ ઉદ્યોગા શાળાના આચાર્ય શ્રી ગોહિલ,વળીયા કોલેજના આચાર્ય ડો.દિલીપ સોંડાણી,ખીલ.બહેરા મુંગા શાળાના આચાર્ય કો.ધવલભાઇ અને તમામ સ્ટાફની ઉપસ્થિત રહીને સફળ બનાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

હળિયાદની દીકરી સુજાન મહેતરે નર્સિંગના પરિણામમાં મેળવ્યું પ્રથમ સ્થાન: સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા ત્રીજા વર્ષના પરિણામોમાં એક્સલ…

શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ પરીમલ નથવાણી

રાજકારણથી પર,સંબંધોની સંવેદનાઃ યશકુમારસિંહ રાજેશ્વરીબા ગોહિલને શ્રદ્ધાંજલિ આપવા…

1 of 710

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *