bhavnagarEducationGujaratLatest

ભાવનગરમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજાઇ

ભાવનગરના ચિતરંજન ચોક વિદ્યાનગર ખાતેથી નશામુક્ત ભારત અભિયાન હેઠળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાની દેખરેખ હેઠળ આ રેલી યોજવામાં આવી જેમા એલ.આર.વળિયા આર્ટસ અને પી.આર.મહેતા,કોમર્સ કોલેજના એન.એસ.એસ.યુનિટના વિદ્યાર્થીઓ,ખીલ. બહેરા મુંગા શાળા અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમાજના માદક દ્રવ્યોથી લોકોને દુર રાખવા માટે જાગૃતિ આવે તે હેતુ માટે રેલી યોજાઇ હતી.જેમાં કુલ-૭૦૦ બાળકો દ્વારા ત્રણ રૂટમાં રેલી દ્વારા વિવિધ વિસ્તારમાં ફેરી કરી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા,કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર હર્ષવર્ધન મૌર્ય,બાળ સુરક્ષા અધિકારી એન.બી. ચૌહાણ,અંધ ઉદ્યોગા શાળાના આચાર્ય શ્રી ગોહિલ,વળીયા કોલેજના આચાર્ય ડો.દિલીપ સોંડાણી,ખીલ.બહેરા મુંગા શાળાના આચાર્ય કો.ધવલભાઇ અને તમામ સ્ટાફની ઉપસ્થિત રહીને સફળ બનાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 228

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *