Latest

ગઢડા(સ્વામીના) ખેડૂતોના પ્રશ્ને પી.જી.વી.સી.એલ કચેરીમાં આમ આદમી પાર્ટીએ રામધૂન બોલાવી

ખેડૂતોના પ્રશ્ને નિરાકરણ ના આવેતો આંદોલન ની ચિમકી

ગઢડા(સ્વામીના) શહેર માં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના વિવિધ પ્રશ્નનો ને લઈને કરી રજુઆત કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

આ બાબતે ગઢડા શહેર ખાતે પીજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને આપ ના કાર્યકરોએ એકઠા મળી ને કાર્યપાલક ઈજનેર ને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને રજુઆત કરવા ઓફીસ માં જતા અટકાવતાં ભારે   રોષ સાથે આપ ના કાર્યકરો અને ખેડૂતોએ કાર્યપાલક ઈજનેર ની ઓફિસ બહાર રામધુન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. છેવટે કાર્યપાલક ઇજનેરે ખેડૂતોને સાંભળી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે ખાત્રી આપી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા માહિતી

આપતા જણાવ્યું હતું કે ખેડૂતો ના પ્રશ્નો નું નિરાકરણ આગામી દિવસોમાં નહિ આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

રિપોટ જયરાજભાઈ ડવ ગઢડા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *