Latest

ગરવી ગુજરાત યાત્રા” ડીલક્સ એસી ટ્રેન તેના પ્રથમ ચરણમાં વડોદરા પહોંચી

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરીસ્ટ ટ્રેન વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશને પહોંચી હતી. ટ્રેનને દિલ્હીના સફ દરજંગ સ્ટેશનથી માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

માહિતી આપતાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી સ્ટેશન પર “ગરવી ગુજરાત યાત્રા” ટ્રેનનું આગમન થતાં તમામ મહેમાન મુસાફરોનું ગુજરાતી પરંપરા અને સાંસ્કૃતિક વાતાવરણમાં પુષ્પો અર્પણ કરીને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર તેમના આગમન પર રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી અને ગુજરાતના ગૌરવ એવા “ગરબા ડાન્સ”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુસાફરોએ પણ આ પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો.

આ દરમિયાન મુસાફરોને વડોદરા શહેરના સાંસ્કૃતિક વારસાથી પરિચિત થવાની તક પણ મળી હતી. યાત્રીઓએ ચાપાનેર (ભારતના પુરાતત્વ સર્વેક્ષણ)ની યુનેસ્કો હેરિટેજ સાઇટની પણ મુલાકાત લીધી હતી. તેમના હોલ્ટના બીજા દિવસે, યાત્રીઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે. ત્યાર બાદ આ ટ્રેન વેરાવળથી રાત્રે સોમનાથ પ્રવાહ માટે રવાના થશે.

સાત રાત અને આઠ દિવસના આ ટૂર પેકેજમાં તમામ મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ટ્રેનમાં બે રેલ રેસ્ટોરન્ટ, સીસીટીવી, ઈન્ફોર્મેશન સિસ્ટમ અને લાઈબ્રેરી પણ છે. શ્રી ગુપ્તાએ માહિતી આપી હતી કે ગુજરાત રાજ્ય તેના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરપૂર છે જ્યાં પ્રવાસીઓ તેમના રોકાણ દરમિયાન પ્રખ્યાત સ્મારકો, યાત્રાધામો અને સાંસ્કૃતિક કેન્દ્રોની મુલાકાત લેશે. આ ટ્રેન પ્રવાસી સર્કિટની 17મી ટ્રેન છે અને ભારતીય રેલવે દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *