Latest

ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું

એબીએનએસ પાટણ: પાટણ ખાતે આવેલ ઉતર ગુજરાત યુનિવર્સીટી ના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઇ
કાત્રોડીયાની હાજરીમાં યોજાયુ…

જેમાં પ્રથમ યુનિવર્સિટી થી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. જ્યાં સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલીકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા.મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી.જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે, પત્રકારોના લાભ છીનવાઇ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રી ને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ્ સમાધાન માટે કહ્યું છે જેનું ટુંક સમયમાં જ નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજાર થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો.

સાથેજ રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે કાર્યક્રમ અંતર્ગત લાભુભાઈ કાત્રોડિયા ના હસ્તે અનિલ રામાનુજ ની નિમણુંક કરવામાં આવી હતી.અને ત્તમામ જિલ્લાના તાલુકાના હોદ્દેદારો સહીત પત્રકાર મિત્રો અને પાટણના સિનિયર પત્રકારો, મહાનુભાવો હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 582

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *