Breaking NewsLatest

ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી.

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવકને 09મી ઑગસ્ટ, 2020ના રોજ આશરે 12.15 કલાકે જકાઉથી દક્ષિણ-પશ્ચિમ 36 NM દૂર 08 ખલાસીઓ ધરાવતી IFB હર્ષદનું એન્જિન બંધ પડી ગયા અંગેના VHF કોલ પ્રાપ્ત થયો હતો. તોફાની દરિયા અને ભારે પવનની સ્થિતિમાં ICGનું જહાજ ખૂબ જ ઝડપથી ઘટનાની ગંભીરતા સમજીને તે સ્થાન પર પહોંચી ગયું હતું. માછીમારી માટે વપરાતી બોટ ‘હર્ષદ’ દ્વારા એન્જિન બંધ પડી ગયા બાદ ICG પાસેથી મદદ માંગવામાં આવી હતી. તોફાની બનેલા દરિયાને ધ્યાનમાં રાખીને બોટને જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી. આ દરમિયાન જખાઉથી દક્ષિણ-પશ્ચિમ 26 nm સ્થિત વધુ એક માછીમારીની બોટ IFB અલ લાબ્બેકે માછીમારીની જાળમાં પ્રોપલર ફસાઇ જવાના કારણે સહાયતા માટે VHF કોલ દ્વારા જહાજનો સંપર્ક કર્યો હતો. આ બોટ ઉપર છ ખલાસીઓ સવાર હતા. ત્યારબાદ IFB અલ લાબ્બેકને પણ જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી અને બન્ને IFBને સલામત સ્થાને દોરી જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ, IFB હર્ષદ અને IFB અલ લાબ્બેકને IFB અલ બદરીને 15 ખલાસીઓ સાથે સુપરત કરવામાં આવી હતી, જેની ગોઠવણ બોટના માલિક દ્વારા જખાઉ બંદર સુધી ટોઇંગની સહાયતા માટે કરવામાં આવી હતી.
રિપોર્ટ બાય સંજીવ રાજપૂત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *