Latest

જામનગર શહેરમાં પાઇપલાઇન ફીટીંગનું સ્થળ નિરીક્ષણ કરતા જેએમસી વોટર વર્કસ વિભાગના અધિકારીઓ

જામનગર: મહાનગરપાલિકામાં વસ્તી વિસ્તાર વધતા શહેરમાં અનેક નવી સોસાયટીઓ નું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ,આ તમામ નવા રહેણાંક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગ હંમેશા પ્રયત્નશીલ રહે છે.

જામનગર મહાનગરપાલિકા ની હદવિસ્તારમાં નવા વિકસિત થતા વિસ્તારોમાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં સામત પીર એરિયામાં વોટર વર્કસ વિભાગ દ્વારા 150 એમએમ ડાયા ની પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ ચાલી રહી છે, તેમજ મહાપ્રભુજીની બેઠક ઝોનમાં પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે

શહેરના નવા વિસ્તારોમાં 250 એમએમ ડાયા અને 150 mm ડાયા ની પાઇપલાઇન ફીટીંગ વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ,આ કામગીરીનું જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી શ્રી પી.સી. બોખાણી સાહેબ અને નાયબ એન્જિનિયર શ્રી નરેશભાઈ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પાઇપલાઇન ફીટીંગ વિશે યોગ્ય ઊંડાઈ જાળવી રાખવા સહિતની બાબતો ની ફીટીંગ કરતા કર્મચારીઓને સૂચન આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 586

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *