Latest

જામનગર રેડક્રોસ સોસાયટી ખાતે પત્રકારો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નેશનલ હાઈસ્કૂલ, રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-૧૨ અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ રે, ઇસીજી ના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા.

નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ડો.અવિનાશ ભટ્ટ, પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, સભ્ય નિરંજનાબેન વિઠ્ઠલાણી, કિરીટભાઈ શાહ, શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રભાઈ ભાનુશાળી, દીપા સોની, નીતિનભાઈ પરમાર, કાજલબેન ગાગિયાણી, ઉષાબેન ગાંધી, એપી અમૃતિયા, કેસુભાઈ કેટિયા, ભરતભાઈ દવે, શ્રી અજીતસિંહ જાડેજા વગેરે સહભાગી થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 621

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *