Latest

લીંબડી ખૂશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લોકોને ને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું

લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે દિવાળી કે અન્ય તહેવારો આવે એટલે સામાજિક ધાર્મિક જેવી સંસ્થાઓ જરૂરિયાત મંદ લોકોને ને પૌષ્ટિકીટ નું વિતરણ કરતી હોય છે

દિવાળી એટલે પ્રકાશ ખૂશી અને સ્નેહ નો તહેવાર જ્યારે આવા તહેવારોમાં નિસ્વાર્થ ભાવે જરૂરિયાત મંદ લોકોની સેવા કરવી એ જ આપણા જીવનની સાચી દિવાળી કહેવાય, ત્યારે હાલ લીંબડી ખાતે ચાલતી ખુશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર પૌષ્ટિક કિટ નું વિતરણ કરવામાં આવ્યું ,

ઘઉં ચોખા ખાંડ ગોળ અને કઠોળ ઉપરાંત મીઠાઈ કપડા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાતમ આઠમ. ઉતરાયણ રક્ષાબંધન અને દિવાળી જેવા પાવન પર્વ પર પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં પણ આવે છે અને માસિક મીટીંગ દરમ્યાન સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી માહિતી અને કીટ પણ આપવામાં આવી હતી

આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડોનર મદદરૂપ થતા હોય છે લીંબડી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી કૃષ્ણસિંહ રાણા, યુવામોરચા ના મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા, પ્રહલાદસિંહ, મુકેશભાઈ લોલાડીયા, ગિરિશભાઈ પટેલ હરિકૃષ્ણ સુરાણી અને સંજયભાઈ સોલંકી વગેરે પોતાનું યોગદાન આપ્યું હતું કાર્યક્રમની અંતે ખૂશી ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રીમાળી વૈશાલી બહેન સૌ ડોનર નો આભાર તેમજ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂશી ફાઉન્ડેશન ટીમે સારી એવી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ લીંબડી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *