Latest

સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ વેકફેર ટ્રસ્ટ અને રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા ડીંડોલી ફ્લેગ સ્ટેશન ની માંગણી

ગુજરાતના સુરત શહેરનો પણ ભારતના સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરોમાં સમાવેશ થાય છે. હાલમાં સુરતની વસ્તી 65 લાખની આસપાસ છે, જે મુખ્યત્વે ઉધના જંકશન અને સુરત સ્ટેશન પર નિર્ભર છે.
સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ વેલ્ફેર ટ્રસ્ટ ના સંસ્થાપક દિપક આર પાટીલ અને રેલ્વે પાસ હોલ્ડર એસોસિએશન ના પ્રમુખ સુનિલ એમ પાટીલ દવારા જણાવવામાં આવ્યું કે

સુરતમાં પરપ્રાંતીય સમુદાય મુખ્યત્વે ઉધના અને સુરતને અડીને આવેલા ગામોમાં રહે છે, જેમ કે ડિંડોલી ,લીંબાયત , ગોડાદરા , આસપાસ , પુનાગામ પર્વત ગામ , કુંભરીયા ગામ ન્યૂ ડીંડોલી , સનિયા, ખરવાસા નવાગામ , હરીનગર ,ઉધના વિસ્તાર કે જેની વસ્તી લગભગ 7 થી 8 લાખ છે. ભુસાવલ લાઇનથી મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો ઉધના સ્ટેશન જવાને બદલે ડિંડોલી બાયપાસ કરે છે,

જે ડિંડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતી 7 થી 8 લાખની વસ્તી માટે ફાયદાકારક નથી. તે માટે અને રોજની અવરજવર કરતા લોકોની તકલીફ ને ધ્યાન માં રાખીને સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ વેલ્ફેર ટ્રસ્ટ અને રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા માં. જનરલ મેનેજર સાહેબ પશ્ચિમ રેલ્વે ને તેમજ મા. રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જારદોષ, નવસારી ના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ , અને બારડોલી લોકસભા ના સાંસદ શ્રી પ્રભુ ભાઈ વસાવા અને PAC મેમ્બર છોટુભાઈ પાટીલ એમને પત્ર લખીને ડીંડોલી ખાતે ફ્લેગ સ્ટેશન ની માંગણી કરવામાં આવી.

જો ડીંડોલી ખાતે ફ્લેગ સ્ટેશન ની મંજૂરી મળે તો મોટી સંખ્યામાં આવતા યાત્રીઓ માટે સરળતા રહેશે અને તેનો સીધો લાભ જનતા ને મળશે માટે રેલ્વે વિભાગ ને ડીંડોલી ખાતે ફ્લેગ સ્ટેશન ની મંજૂરી મળવા વિનંતી કરવામાં આવી છે .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *