Latest

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના લોકવાણી રેડિયો ૯૦. ૪ (FM) તેમજ જી.એસ.એફ.સી દ્વારા જમીન સ્વાસ્થય સુધારણા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના લોકવાણી રેડિયો દ્રારા રેડિયો સોપાન ગૃપ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ. જેનો મુખ્ય હેતુ જમીનની સ્વાસ્થય સુધારણાનો હતો. આ મીટીંગમાં ૩૩ જેટલા ખેડૂત ભાઈઓ તથા ખેડૂત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

રેડિયો જોકી શ્રી કનકસિંહ સોલંકીએ જમીનની સ્વાસ્થ્યને લગતા અલગ-અલગ કાર્યક્રમો હવે પછી રેડિયો દ્રારા પ્રસારણ થવાના છે તેનું સમયપત્રક રજૂ કર્યું.

રેડિયો ઇન્ચાર્જ ડે. હંસા ગામીએ લોકવાણી રેડિયોના કાર્યક્રમો વિશે વિગતે વાત કરી. કેવીકેના વડાશ્રી જીતેન્દ્ર સિંહ દ્રારા પ્રાકૃતિક ખેતી થકી જમીનનુ સ્વાસ્થ્ય સુધારવા તથા ખેતી ખર્ચ ઘટાડવા વિશે માર્ગદર્શન આપ્યુ.

જી.એસ.એફ.સી.વડોદરાથી પધારેલ ડો.સુરેશ, રીચર્સ મેનેજર દ્રારા PROM (ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર) તથા સરદાર સુધન વિશે વિગતે વાત કરી. ત્યારબાદ શ્રી સંદિપ રાજગુરૂ, ડેપ્યુટી મેનેજરે જમીનની સ્વાસ્થ્ય સુધારણા તથા પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યુ.

લોકવાણી રેડિયો ૯૦. ૪ (FM) આખાય વર્ષ દરમિયાન જમીનની સ્વાસ્થ્ય સુધારવાના કાર્યક્રમોનુ સતત પ્રસારણ કરવામાં આવશે તે દરેક ખેડૂત ભાઈઓને સાંભળવા માટે ભલામણ કરવામાં આવે છે.છેલ્લે રેડિયો સાંભળતા ખેડૂતો દ્રારા પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા. આ આખાય કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના શ્રી મેહુલભાઈ દીપકભાઈ કામળીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *